Technology, Politics, and Folk Literature

શ્રીમોટા સાધના પ્રસંગ

અવધૂતજી શ્રીમોટાને આખી રાત વડલાની એક ડાળ ઉપર બેસાડતા અને ત્યાં બેસીને તેઓ ઈશ્વરસ્મરણ કરે એવું તેમણે ગેઠવ્યું હતું. અવધૂતજીએ શ્રીમોટાને કહેલું કે તારે જાગતા રહીને ઈશ્વરનું નામ લેવાનું છે. ઈશ્વરનું નામ લેતાં ઝોકું આવી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખજે. શ્રીમોટા તો અવધૂતજીને પ્રણામ કરીને ઈશ્વરસ્મરણ કરવા ડાળ ઉપર જઈને બેસે.